Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

૧૧ રાજયોમાં શહેરો કરતા ગામડાઓમાં કોરોનાની ભયાનક સ્થિતિ

લોકો કે જેમનામાં કોરોનાના લક્ષણ છે તેઓ કોરોના ટેસ્ટ કરાવતા જ નથીઃ સમગ્ર દેશમાં સાડા ૬ લાખ ગામડા છે અને આ ગામડાઓમાં ૯૦ કરોડ લોકો રહે છે

નવી દિલ્હી, તા.૧૩: કોરોના વાયરસના નવા કેસની સંખ્યા બુધવારે વધીને ૩.૪૮ લાખ થઈ ગઈ. ચિંતાની વાત એ છે કે મૃતકોનો આંકડો ખુબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાથી ૪૨૦૫ લોકોના મોત થયા. એક દિવસમાં આ સૌથી વધુ મોતની સંખ્યા છે. આથી અમે તમને સૌથી પહેલા આ આંકડા જણાવ્યાં, કારણ કે આ આંકડામાં દેશનું હાલનું સંકટ છૂપાયેલું છે.

ભારતમાં સંક્રમણની ગતિ થમી રહી નથી કારણ કે હવે કોરોના વાયરસ શહેરોમાંથી ગામડાઓમાં ફેલાઈ રહ્યો છે. હાલ ૧૩ એવા રાજયો છે જયાં શહેરોથી સંક્રમણ ગામડાઓમાં પ્રસરી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, છત્ત્।ીસગઢ, બિહાર અને મધ્ય પ્રદેશ મુખ્ય રાજય છે. એટલે કે સંક્રમણના નવા કેસમાં આ તમામ રાજયોના ગ્રામીણ વિસ્તારોએ શહેરી વિસ્તારોને પાછળ છોડ્યા છે. સ્થિતિ કોઈ મોટા સંકટ તરફ ઈશારો કરી રહી છે. હાલ આ ૧૩ રાજયોના ગામડાઓમાં કોરોના વાયરસ શહરો કરતા વધુ પ્રસરી રહ્યો છે. આ આંકડા તેનો  આધાર છે.

મહારાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં પ્રતિદિન કોરોના સંક્રમણના નવા કેસની સંખ્યા લગભગ ૨૪ હજાર છે. જયારે ગામડાઓમાં આ આંકડા ૩૦ હજારથી વધુ છે. એ જ રીતે ઉત્તર પ્રદેશના ગામડાઓમાં શહેરો કરતા બમણાથી પણ વધુ નવા કેસ રોજ મળી રહ્યા છે. રાજસ્થાનના ગામડાઓમાં તો દરરોજ સરેરાશ ૧૨ હજાર ૬૪૦ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. જયારે શહેરોમાં આ આંકડો ૫ હજારની આજુબાજુ છે. આવા જ કઈક હાલ હરિયાણા, છત્તીસગઢ, બિહાર, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના છે. એટલે કે આ એવા રાજયો છે જયાં હવે કોરોના શહેરો કરતા  ગામડાઓમાં વધુ ફેલાઈ રહ્યો છે.

સમજવા જેવી વાત છે કે આ હાલાત ત્યારે છે જયારે અનેક ગામડાઓમાંથી એવા સમાચારો આવી રહ્યા છે કે ત્યાંના લોકો કે જેમનામાં કોરોનાના લક્ષણ છે તેઓ કોરોના ટેસ્ટ કરાવતા જ નથી. સમગ્ર દેશમાં સાડા ૬ લાખ ગામડા છે અને આ ગામડાઓમાં ૯૦ કરોડ લોકો રહે છે. આથી આ સ્થિતિ સારી નથી. હવે તમને એવા ૧૧ રાજયો વિશે જણાવીએ છીએ કે જયાં ગામડાઓમાં સંક્રમણના કેસ પહેલા કરતા વધુ મળી રહ્યા છે. જેમાં પંજાબ સૌથી ઉપર છે. અહીં નવા કેસમાંથ ૪૯ ટકા ગામડાઓમાંથી મળ્યા છે.

આવી જ કઈક હાલત તામિલનાડુમાં છે. કર્ણાટકમાં આ આંકડો ૧૦૦માંથી ૪૪ ટકા છે. તેને આ રીતે સમજો કે જો કોઈ રાજયમાં એક દિવસમાં ૧૦૦ નવા દર્દીઓ મળ્યા તો તેમાંથી ૪૪ ગામડામાંથી છે. પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં ૧૦૦માંથી ૪૭ ટકા દર્દીઓ હવે ગામડામાંથી મળે છે. આ આંકડાને તમે એ રીતે સમજી શકો કે હવે કોરોના વાયરસ ગામડાઓમાં ફેલાઈ ચૂકયો છે અને ત્યાં પણ સ્થિતિ ખુબ ખરાબ છે. આ ઉપરાંત યુપી, બિહાર, હરિયાણા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ઓડિશા, ઝારખંડ, રાજસ્થાન વગેરે જગ્યાએ સ્થિતિ આવી જ છે.

ગામડાઓમાં લોકોએ કોરોના ટેસ્ટ કરાવવા માટે ૫૦ થી ૬૦ કિલોમીટર દૂર જિલ્લા મુખ્યાલયના કોવિડ સેન્ટરમાં જવું પડે છે અને પ્રાથમિક ચિકિત્સા કેન્દ્રોની હાલત પણ એટલી સારી નથી. તમને યાદ હશે કે બે દિવસ પહેલા જ આપણે ગામડાઓના વિસ્તૃત ગ્રાઉન્ડ રિપોર્ટને દર્શાવ્યો હતો. આજે પણ અહીં દેશના એવા આંતરિયાળ ગામડાઓથી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરાયો છે જયાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટી વાત એ છે કે તેમાંથી અનેક ગામડા એા છે જયાં પીવાના પાણી માટે પણ લોકોએ ૨-૨ કિલોમીટર ચાલીને જવું પડે છે. એટલે કે ગામડાઓમાં લોકોએ જીવવા માટે ઘરની બહાર નીકળવું જ પડે છે. જયારે કોરોનાથી બચવા માટે જરૂરી છે કે લોકો ઘરની અંદર રહે. આવામાં ગામડાના લોકો કઈ રીતે આ બીમારી સામે સંઘર્ષ કરી રહ્યા છે અને ત્યાં હાલની સ્થિતિ શું છે તે સમજવા માટે તમારે આ ગ્રાઉન્ડ રિપોર્ટ જોવો જરૂરી છે.

(10:54 am IST)