Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર તોડવા ઉદ્ધવ ઠાકરે સરકારે લોકડાઉન 31મી મેં સુધી લંબાવાયું

આવશ્યક સેવાઓ માટે આપવામાં આવતી છૂટ પહેલા જેવી જ ચાલુ રહેશે : મુખ્ય સચિવ અજય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ જારી કર્યો

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર તોડવા માટે લોકડાઉન 31 મે સુધી લંબાવામાં આવ્યું છે. આ સાથે, આવશ્યક સેવાઓ માટે આપવામાં આવતી છૂટ પહેલા જેવી જ ચાલુ રહેશે

 મહારાષ્ટ્રએ 31 મેં સુધી લોકડાઉન વધારી દેવાની જાહેરાત કરી દીધી હતી. હાલ કોરોનાની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર પર જોવા મળી રહી છે અને તેમાં પણ મુંબઈમાં કેસનો વધારો ઝડપથી થઇ રહ્યો છે. મહારાષ્ટ્રમાં હવે કોરોના ચેપને રોકવા માટે લોકડાઉન લંબાવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રએ કોરોનો વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન 31 મે સુધી વધારવાની જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્ય સચિવ અજય મહેતાએ લોકડાઉન વધારવાનો આદેશ જારી કર્યો હતો.

(12:00 am IST)