Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અમિતભાઇ શાહની રેલીમાં ટીએમસીના નામે ભાજપ કાર્યકરોનો હુમલો :વાહનોમાં તોડફોડ અને આગચંપી

ટીએમસીએ કહ્યું હુમલો ભાજપનું ષડ્યંત્ર :ભાજપના કાર્યકરોએ ઉપદ્વવ મચાવ્યો

 

કોલકાતામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના રોડ શો વેળાએ થયેલ હુમલા માટે અમિતભાઈ શાહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબદાર ઠેરવ્યા છે ત્યારે ટીએમસીએ ભાજપનું ષડ્યંત્ર હોવાનું કહ્યું છે

  ટીએમસીએ આરોપ લાગવ્યો કે ટીએમસીના નામે ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો છે અને અનેક વાહનોમાં તોડફોડ કરીને આગને હવાલે કર્યા છે અનેક સ્થળોએ ભાજપના કાર્યકરો હુમલો કરતા જોવાયા હતા

  ઘટના બાદ ટોળાને કાબુમાં લેવા સ્થાનિક પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી ભાજપના સમર્થકો પથ્થરબાજી કરીને માહોલને તણાવપૂર્ણ બનાવી રહ્યાં હતા અને વાહનોને નિશાન બનાવી રહ્યાં હતા

 

(10:47 pm IST)