Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

હું મુંબઇમાં એક્ટર બનવા આવ્યો હતો, પરંતુ મેં બહુ જ ભૂલો કરી છે, તેથી હું હવે સ્યુસાઇડ કરી રહ્યો છું, માતા-પિતા મને માફ કરજોઃ ફિલ્મ અભિનેતા-પ્રોડ્યુસર ઇન્‍દર કુમારનો વીડિયો વાયરલ

નવી દિલ્‍હીઃ ફિલ્મ અભિનેતા એક નિર્માતા ઇન્‍દર કુમારનું ૨૦૧૮માં મોત થયા બાદ તેમનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઇન્‍દર કુમારે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે, ઇન્‍દર કુમારનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવાયું હતું.

આ વીડિયોમાં ઈન્દર કુમાર કહી રહ્યો છે કે, તે સુસાઈડ કરવા જઈ રહ્યો છે અને આ તેના પહેલાનો છેલ્લો વીડિયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ તેમની મોત પર અનેક સવાલો ઉભા થયા છે. વીડિયોને જોઈને તમને એવુ લાગશે કે તેમણે આ વીડિયો પોતાની મોતના પહેલા રેકોર્ડ કર્યો છે.

હકીકતમાં, ઈન્દર કુમારનુ નિધન ગત વર્ષે જુલાઈમાં હાર્ટ એેટેકથી થયું હતું. તેમણે 44 વર્ષની ઉમરમાં જ દુનિયાને અલવિદા કહ્યું હતું. જેના બાદ અચાનક તેમનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઈન્દર કહી રહ્યા છે કે, તેમની અય્યાશીઓએ તેમને બરબાદ કરી દીધો છે. હું મુંબઈમાં એક્ટર બનવા આવ્યો હતો, પરંતુ મેં બહુ જ ભૂલો કરી છે. તેથી હવે હું સુસાઈડ કરી રહ્યો છું. તેના બાદ આ વીડિયોમાં તે રડી રહ્યા છે અને પોતાના માતા-પિતાની માફી માંગતા પણ નજર આવી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયો તેમનો રિયલ વીડિયો નથી. કેટલાક રિપોર્ટસ કહે છે કે, આ વીડિયો ઈન્દર કુમારની આવનારી ફિલ્મનો એક સીન છે અને આ વીડિયો તેમના મોત પહેલા શૂટ કરાયો હતો. આ વીડિયો અચાનકથી તેમના મોત પહેલા વાઈરલ થઈ રહ્યો છે, આ કારણે લોકોને લાગી રહ્યું છે કે, ઈન્દર કુમારે સુસાઈડ કર્યું હતું. આ વીડિયોને લઈને ઈન્દર કુમારની પત્ની પલ્લવી ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવાની છે, જેમાં આ વીડિયોની હકીકત લોકોની સામે આવશે.

કેટલાક કહે છે કે, ઈન્દરને મોત પહેલા જ આભાસ થઈ ગયો હતો. હકીકતમાં 2016માં ઈન્દર કુમારે હેપીનેસની કેપ્શન સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જેના બાદ તેણે કંઈ જ પોસ્ટ કર્યું ન હતું. પરંતુ મૃત્યુના એક દિવસ પહેલા જ એટલે કે 27 જુલાઈ, 2017ના રોજ તેણે એક તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું, પીસ. એટલે કે શાંતિ. આ બે પોસ્ટ અને અચાનક વાઈરલ થયેલા વીડિયો વચ્ચે હવે વિવિધ કારણો આકાર લઈ રહ્યાં છે.

(6:42 pm IST)