Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

યુપીમાં વિજળી પડતા ૧૦૦ ઘરો બળીને ખાખ

નવીદિલ્હીઃ ગઈકાલે દેશના ઉત્તરી રાજયોમાં આવેલ તોફાનથી ભારે તબાહી મચી ગઈ હતી. આ આંધી- તોફાનથી કુલ ૪૦ લોકોના મોત થયા હતા. જેમાં પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને દિલ્હી આ કહેરની ચપેટીમાં આવ્યા હતા.

આ ઉપરાંત ઘણી જગ્યાાઓએ વિજળી પડવાના સમાચાર પણ આવ્યા છે. જેમાં ઉત્તરપ્રદેશના સંભલના રાજપુરામાં વિજળી પડતા જોતજોતામાં ૧૦૦ ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટરોને આગ ઓલવવા માટે મોકલવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પણ વિજળી પડવાથી ૯ લોકોના મોત થયા હતા. નરેન્દ્રભાઈએ પણ દેશમાં આવેલ કુદરતી પ્રકોપથી થયેલ લોકોના મોત અંગે ટ્વીટ કરી શોક વ્યકત કર્યો હતો.

(3:57 pm IST)