Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

રાજકોટ અને સુરતના પૂર્વ કલેકટર ડો.રાજેન્દ્રકુમારની વર્લ્ડ બેંકમાં નિમણૂક

નવી દિલ્હી,તા. ૧૪: રાજકોટ માટે ગૌરવ સમાન કહી શકાય તેવા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.રાજકોટ અને સુરતના પૂર્વ કલેકટર રહી ચૂકેલા અને હાલ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના IAS અધિકારી ડોકટર રાજેન્દ્ર કુમારની બલ્ડ બેંકમાં નિમણૂક કરવામાં આવી છે.રાજકોટના પૂર્વ કલેકટર અને હાલમાં પીએમઓમાં ફરજ બજાવતા ડોકટર રાજેન્દ્રકુમારની વર્લ્ડ બેંકમાં નિમણૂંક કરવામાં આવી છે.

ડો.રાજેન્દ્ર કુમારે રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૪ દરમિયાન કલેકટર તરીકે કારભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાન સાથે દિલ્હી પહોચ્યા હતાં. વર્તમાન સમયમાં ડો. રાજેન્દ્ર કુમાર પીએમઓમાં ફરજ બજાવીરહ્યાં છે.

ગુજરાત કેડરના ૨૦૦૪ બેંચ ના ડો.રાજેન્દ્ર કુમાર ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી રાજકોટ કલેકટર તરીકે ફરજ બજાવ્યા બાદ ૨૦૧૪ થી ૨૦૧૬ સુરત કલેકટર તરીકે સેવાઓ આપી હતી અને ત્યારબાદ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર નિમણૂક થતા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સેવા બજાવી રહ્યા છે. વોશિંગ્ટન ડી.સી.માં વર્લ્ડ બેન્કના એકિઝકયુટિવ ડાયરેકટરના એડવાઈઝર તરીકે આગામી ત્રણ વર્ષ માટે નિમણૂંક થઈ છે.

(10:12 am IST)