Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

ઓવૈસી ફરી વડાપ્રધાન-નીતિષકુમાર વિરૂધ્‍ધ વિવાદીત નિવેદન આપી વાતાવરણ બગાડી રહ્યા છે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર હાલ ચરમસીમાએ છે. અનેક વિવાદાસ્પદ નિવેદનો પણ સામે આવી રહ્યાં છે. ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્ત્હાદુલ મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી એકવાર ફરીથી પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચા છે. અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના સીએમ નીતિશકુમાર પર નિશાન સાધવાના ચક્કરમાં તમામ હદો પાર કરી દીધી.

અસદુદ્દીન ઓવૈસીએ એક રેલીને સંબોધતા કહ્યું કે નીતિશકુમાર અને પીએમ નરેન્દ્ર મોદીની આશિકી ખુબ મજબુત આશિકી છે. લૈલા મજનુ કરતા પણ વધુ મહોબ્બત આ બંનેમાં છે. જ્યારે આ બંનેની મહોબ્બતની દાસ્તાન લખાશે... લૈલા અને મજનુ સાંભળો, જ્યારે તમારી મહોબ્બતની દાસ્તાન લખાશે ત્યારે તેમાં નફરતનું નામ લખાશે. જ્યારે તે દાસ્તાનમાં મહોબ્બતનું નામ નહીં હોય. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે દાસ્તાનમાં લખાશે કે જ્યારથી આ બંને સાથે આવ્યાં, હિન્દુસ્તાનમાં હિન્દુ મુસલમાનો તણાવમાં છે.

(1:02 pm IST)