Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

સપા, બસપા અને કોંગ્રેસના શાસનમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર: યુપીમાંઅમિતભાઇ શાહના આકરા પ્રહાર

ત્રણેય પક્ષ ઘૂસણખોરોને ભારતથી નિકાળવા નથી માંગતા:તેઓ તેમના 'મત બેંક' છે.

નવી દિલ્હી :યુપીમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહે યુપીમાં સપા-બસપા તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.  અમિતભાઇ શાહે કહ્યું હતું કે આ ત્રણેય પક્ષ ઘૂસણખોરોને ભારતથી નિકાળવા નથી માંગતા કારણ કે તેઓ તેમના 'મત બેંક' છે

   અમિતભાઇ  શાહે વિજય સંકલપ રેલીમાં કહ્યું હતું કે, 'ભારતીય જનતા પક્ષ ઘૂસણખોરોને કાઢવા માંગે છે. તેમણે ફરી ભ્રષ્ટાચારના મુદ્દે સપા -બસપા અને કોંગ્રેસ પર હુમલો કર્યો હતો અને કહ્યું કે આ ત્રણેય પાર્ટીના શાસનમાં 12 લાખ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે પરંતુ અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

  ભાજપના અધ્યક્ષે વધુમાં જણાવ્યું હતું કે, માયાવતી કહે છે કે અમે ગરીબો માટે કામ કરીશું, જ્યારે બસપાએ તમામ ધનિકોને ટિકિટ આપી છે અને તેઓ ગરીબોને ક્યારેય સારું કરશે નહીં.

(12:00 am IST)