Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

આપણે ત્યાં કયારે?

દૂધમાં ભેળસેળ બિનજામીનપાત્ર ગુનો ગણાશેઃ મહારાષ્ટ્ર સરકાર

મુંબઈઃ દૂધમાં ભેળસેળને બિન જામીનપાત્ર ગુનો લેખી તેની માટે ત્રણ વર્ષ સુધી જેલવાસની સજાની જોગવાઈ અંગે મહારાષ્ટ્ર સરકાર કાયદો લાવશે.

રાજયના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન ગીરીશ બાપટે વિધાનસભામાં જણાવ્યું હતું કે દૂધમાં ભેળસેળ કરનારાઓ માટેની સજામાં વધારો કરી ત્રણ વર્ષની કરવામાં આવશે અને ભેળસેળ કરનારને જામીન પણ નહીં મળે.અન્ય જિલ્લાઓમાંથી મુંબઈમાં લાવવામાં આવતા આશરે ૩૦ ટકા દૂધમાં ભેળસેળ કરવામાં આવે છે.(૩૦.૨)

(12:08 pm IST)