Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ કન્હૈયા કુમારના કાફલા પર ફરી આઠમી વખત હીચકારો હુમલોઃ હુમલાખોરોએ મંચને આગ લગાડી

જેએનયુના પૂર્વ વિદ્યાર્થી સંઘ ના અધ્યક્ષ કન્હૈયા કુમારના કાફલા પર એક વખત ફરી હુમલો થયો છે. કન્હૈયા કુમારના કાફલા પર બિહારમા જનગણમન યાત્રા દરમ્યાન આ આઠમી વખત હુમલો થયો છે. આ વખતના હુમલામાં હુમલાખોરોએ  કન્હૈયાના મંચ પર આગ લગાવી દીધી હતી.

દેશમાં લાગુ નાગરિકતા કાનૂન, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં  કન્હૈયાકુમાર પુરા બિહારમાં જન ગણ મન યાત્રા ચલાવી રહ્યા છે. ૩૦ જાન્યુ. થી શરૃ થયેલ આ યાત્રા ર૦ ફેબ્રુ. ના પટનામા રેલીની સાથે પુરી થશે. બકસરમા જનસભાને સંબોધિત કર્યા પછી કન્હૈયા આજ બપોરે આરા પહોંચ્યા પણ આરા પહોંચતા પહેલા જ વિરોધીઓએ  આરામા મંચને  આગ લગાડી દીધી. ગોડસે પ્રેમીઓએ આરામા થનારી સભાના મંચમા રાતના આગ લગાડી દીધી. પણ અમે તો જશુ મહોબતના કારવા લઇ અને લગાવશુ નફરતથી આઝાદીના નારા ઇન્કલાબ મંચના મોહતાજ નથી હોતા દોસ્તો.

(11:23 pm IST)