Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વોડાઆઈડિયાના અસ્તિત્વ પર સંકટના વાદળો ઘેરાયા

કોર્પોરેટ જગતમાં સુપ્રીમના ચુકાદાથી ખળભળાટ : જીઓ, એરટેલ, વોડાઆઈડિયાનું ૯૦ ટકા નિયંત્રણ છે

નવીદિલ્હી, તા. ૧૪ : ૧૭મી માર્ચ સુધી એજીઆરની ચુકવણી કરવા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યા બાદ બજારમાં ખળભળાટ મચી ગયો છે. કોર્પોરેટ જગતમાં પણ આજે આની ચર્ચા રહી હતી. વ્યાજ સાથે આ રકમ ચુકવવાની રહેશે. તમામ લોકો જાણે છે કે, વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ ભારતના મોબાઇલ માર્કેટમાં ૯૦ ટકા હિસ્સેદારી ધરાવે છે. એરટેલ અને વોડાફોન બંને આ આદેશ બાદ ચિંતાતુર દેખાઈ રહી છે.

        આ હિલચાલથી બ્રિટિશ મહાકાય કંપની વોડાફોન સાથે સંયુક્ત સાહસ ધરાવનાર વોડાફોન-આઇડિયાના અસ્તિત્વ સામે સંકટ ઉભુ થઇ ગયું છે. ઓવરડ્યુની રકમ અભૂતપૂર્વ થઇ છે. આજે આ ચુકાદા બાદ પ્રતિક્રિયા જાણી શકાય નથી પરંતુ વોડાફોન-આઇડિયા દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, તેના આદેશમાં સુધારો કરવાની જરૂર છે. સુધારો નહીં કરવાની સ્થિતિમાં કંપનીઓને તેમના અસ્તિત્વને ટકાવી રાખવામાં મુશ્કેલી પડશે. આ વર્ષમાં વોડાફોન-આઈડિયાની મુશ્કેલી જોરદારરીતે વધી ગઈ છે. સાથે સાથે ડોટના અધિકારીઓને પણ રિકવરી માટે સ્પષ્ટ સૂચના અપાઈ છે.

(7:59 pm IST)