Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

પાકિસ્‍તાન મરીન દ્વારા ૪ બોટ સાથે રર માછીમારોનું અપહરણ

ભારતીય જળસીમામાંથી ઉઠાવી જવાના નાપાક કૃત્‍ય સામે ભારે રોષ

રાજકોટ, તા., ૧૪: પાકિસ્‍તાન મરીન સિકયુરીટી એજન્‍સી દ્વારા ૪ બોટ સાથે એક સાથે રર માછીમારોનું અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય માછીમારો દરીયામાં માછીમારી કરી રહયા હતા ત્‍યારે પાકિસ્‍તાન મરીન સિકયુરીટીની ટીમ ત્રાટકી હતી અને ચારેય બોટ સાથે માછીમારોના અપહરણ કરીને પાકિસ્‍તાન મરીન સિકયુરીટીની ટીમ નાસી છુટી હતી. વારંવાર પાકિસ્‍તાન દ્વારા થઇ રહેલા નાપાક કૃત્‍ય સામે રોષ વ્‍યાપી ગયો છે.

(3:46 pm IST)