Gujarati News

Gujarati News

News of Thursday, 14th January 2021

હૈદરાબાદી હસ્તકલાકારે બનાવી સોનાની મિનિએચર પતંગ:માંજો અને ચાંદીનો માસ્ક

મકર સંક્રાન્તિના તહેવાર પછી તિરુપતિ દેવસ્થાનમમાં ભગવાન વેન્કટેશ્વરનાં ચરણે ધરશે

હૈદરાબાદ : તેલંગણાના પાટનગર હૈદરાબાદના રહેવાસી હસ્તકલાકાર આનંદ રેડ્ડી દરેક મકર સંક્રાન્તિ પૂર્વે મિનિએચર પતંગ અને સાથે માંજો તૈયાર કરે છે. એમાં ચાંદી અને સોનાનો પણ ઉપયોગ કરે છે. દર વર્ષે લગભગ અઢીથી ત્રણ ગ્રામનાં પતંગ-માંજો મકર સંક્રાન્તિના તહેવાર પછી તિરુપતિ દેવસ્થાનમમાં ભગવાન વેન્કટેશ્વરનાં ચરણે ધરાવે છે. આ વર્ષે ૨.૫૮ ગ્રામ પતંગ-માંજાની જોડે ચાંદીનો મિનિએચર ફેસ માસ્ક પણ ભગવાનનાં ચરણે ધરવામાં આવશે. રોગચાળાના માહોલમાં લોકજાગૃતિના ઉદ્દેશથી ફેસ માસ્ક પણ ભગવાનનાં ચરણે ધરવામાં આવશે

(11:19 am IST)