Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ભારત-પાકિસ્તાનની વચ્ચે વાતચીતની જરૂરીયાત : મહબૂબા મુફતી

જમ્મુ : મુખ્યમંત્રી મહબૂબા મુફતી એ ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની જરૂરિયાત પર ભાર મુકતા કહ્યું કે, બંને દેશો વચ્ચેની દુશ્મનીની અસર રાજય પર પડે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહેબૂબા એ વિધાન પરિષદમાં રાજયપાલના ભાષણ પર અભિનંદન પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે, બન્ને દેશો વચ્ચે વાતચીતની જરૂરિયાત છે કારણ કે બંને દેશોની દુશ્મનીની અસર રાજય પર પડે છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા મહેબૂબા મુફતીએ ભારત અને પાકિસ્તાનને સરહદ પર દુશ્મનાવટનો અંત લાવવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યું હતું કે, રાજયના લોકોએ અથડામણોને કારણે થતા નુકસાનને વેઠવું પડે છે.

(12:01 pm IST)