Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ઇઝરાયેલી પીએમની ભારત મુલાકાતના વિરોધમાં પાંચ દિવસીય ધરણા યોજવાનું એલાન

મુંબઇ : ઇઝરાયેલના વડાપ્રધાનની ભારત મુલાકાતને રઝા એકેડમી, સુન્ની જમીઅત ઉલેમા, મુસ્લિમ કાઉન્સિલ અને રહમાની ગ્રુપે રદ કરવાની માગણી કરતા ૧૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી આઝાદ મેદાનમાં પાંચ દિવસીય ધરણા યોજવાનું એલાન કર્યુ છે. રઝા એકેડેમીના સંસ્થાપક મોહમ્મદ સઇદ નૂરીએ કહ્યું કે કિબલા અવ્વલના દુશ્મન, પેલેસ્ટીની બાળકો અને સમગ્ર માનવતાના હત્યારા ઇઝરાયેલના વડાપ્રધાન નેતાન્યાહુના વિરોધમાં મુંબઇના આઝાદ મેદાનમાં ૧૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી ઉલેમા અને મસ્જિદો ના ઇમામ પાંચ દિવસીય ધરણાનું આયોજન કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:17 am IST)