Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

જન્મદિન મુબારક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારે ગઈકાલે એનસીપીના વડા અને દેશના પૂર્વ સંરક્ષણ પ્રધાન શ્રી શરદ પવારના નિવાસસ્થાને જઈ તેમને મળ્યા હતા અને ૮૦માં જન્મદિવસની વધામણી આપી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિતના દિગ્ગજોએ આ લોખંડી મરાઠા નેતાના જન્મદિવસે શુભેચ્છા પાઠવી હતી. વાય બી. ચવાણ ભવન ખાતે લેઝીમ રાસના પ્રારંભ સાથે સવારથી હજારો પ્રશંસકો ઉમટી પડ્યા છે અને જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઉદ્ધવજીએ શરદ પવારને મહા વિકાસ અઘાડી સરકારના માર્ગદર્શક અજવાળા તરીકે બિરદાવ્યા હતા.

(6:05 pm IST)