Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બંગાળ બાદ પંજાબ, કેરળ રાજયે પણ નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈનકાર કર્યો

ગુવાહાટી ઉપરાંત આસામના અનેક શહેરોમાં બેમુદત કફર્યૂ લાગુ કરવામાં આવ્યો છે

તિરુવનંતપુરમ, તા.૧૩: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળની ભાજપ/એનડીએ સરકારે નાગરિકતા સુધારા ખરડાને સંસદમાં પાસ કરાવી દીધો છે અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ગઈ કાલે રાતે એની પર હસ્તાક્ષર કરીને એને મંજૂરી આપી દેતાં આ ખરડો હવે કાયદો બની ગયો છે, પરંતુ દેશના અમુક રાજયોએ આ કાયદો લાગુ કરવાનો ઈનકાર કરી દીધો છે.

પહેલાં બંગાળે ઈનકાર કર્યો હતો અને ત્યારબાદ પંજાબ અને કેરળ રાજયે કાયદો લાગુ કરવાની ના પાડી છે.

બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આ કાયદા સામે વિરોધ વ્યકત કર્યો છે અને તેને પોતાના રાજયમાં લાગુ ન કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે અને કેરળના પીનારાઈ વિજયને પણ પોતપોતાના રાજયમાં આ કાયદો લાગુ ન કરવાની જાહેરાત કરી છે.

આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, અફદ્યાનિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક અત્યાચારો સહન ન થતાં ભારતમાં આવી ગયેલા લાખો હિન્દુ, શીખ, પારસી, બૌદ્ઘ, ખ્રિસ્તી જેવી લદ્યુમતી કોમોનાં નિરાશ્રીત લોકોને ભારતમાં નાગરિકતા આપવામાં આવશે. પરંતુ, બંગાળ, પંજાબ, કેરળની સરકારોએ આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે.

વિજયને કહ્યું કે આ કાયદો ભારતના બિનસાંપ્રદાયિક તથા લોકતાંત્રિક ચરિત્ર પર પ્રહાર સમાન છે. તાકાતના દ્યમંડ દ્વારા આ ગેરબંધારણીય કાયદાને પાસ કરાવવામાં આવ્યો છે અને એની પાછળ કોઈ જદ્યન્ય રાજકીય ઉદ્દેશ્ય છે. તેથી કેરળ આ કાયદાને લાગુ નહીં કરે. અમારા રાજયમાં ધર્મના આધારે ભેદભાવ રાખવાની પરવાનગી આપવામાં નહીં આવે.

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે કહ્યું છે કે પંજાબ વિધાનસભામાં કોંગ્રેસની બહુમતી છે અને અમે આ ગેરબંધારણીય ખરડાને લાગુ કરતો રોકીશું. આ કાયદો અત્યંત ભાગલાવાદી પ્રકૃતિનો છે. જે કોઈ પણ કાયદો દેશનાં લોકોને ધાર્મિક આધાર પર વિભાજીત કરતો હોય એ ગેરકાયદેસર અને અનૈતિક છે.

મમતા બેનરજીએ કહ્યું છે કે આ બિલથી ડરશો નહીં, જયાં સુધી અમે અહીં સત્ત્।ા પર છીએ ત્યાં સુધી તમારી પર કોઈ ગમે તે લાદી નહીં શકે.

ઉલ્લેખનીય છે કે મમતા બેનરજીએ ફય્ઘ્ દેશભરમાં લાગુ કરવામાં આવશે એવા કેન્દ્ર સરકારના નિવેદનની પણ આકરી ટીકા કરી હતી.

કેરળ સ્થિત ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સંસ્થાએ નાગરિકતા સુધારા કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

આ કાયદાના વિરોધમાં ઈશાન ભારતના અમુક રાજયોમાં હિંસક વિરોધ થયો છે. ભાજપશાસિત આસામ સળગી રહ્યું છે તો મેદ્યાલયના શિલોંગમાં હિંસક દેખાવોને પગલે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

આસામના ગુવાહાટી શહેરમાં નાગરિકતા ખરડાનો વિરોધ કરી રહેલા અને કફર્યૂના આદેશોનો ભંગ કરનાર દેખાવકારો પર પોલીસે કરેલા ગોળીબારમાં ૩ જણનાં મરણ નિપજયા છે.

ગુવાહાટી ઉપરાંત આસામના અનેક શહેરોમાં બેમુદત કફર્યૂ લાગુ કરવામાં આવ્યો છે.

(10:31 am IST)