Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

યોગી આદિત્યનાથ અન્ય દેવતાઓની જ્ઞાતિ પણ જણાવે જેથી આપણને જાણકારી મળે : અખિલેશ યાદવનો ટોણો

આપણે આપણી જ્ઞાતિના દેવતાઓ પાસેથી આશિર્વાદ માંગી શકીએ

લખનૌ :ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું છે કે યોગી આદિત્યનાથ દેવતાઓની જ્ઞાતિ જણાવે છે અને તે સારી બાબત છે. અત્યાર સુધીમાં તેમણે માત્ર થોડાક દેવતાઓની જ્ઞાતિ જ જણાવી છે. પરંતુ હવે યોગી આદિત્યનાથે અન્ય દેવતાઓની જ્ઞાતિ જણાવવી જોઈએ.જેથી આપણને આપણી જ્ઞાતિના દેવતાની જાણકારી મળે અને આપણે આપણી જ્ઞાતિના દેવતાઓ પાસેથી આશિર્વાદ માંગી શકીએ.     

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વખતે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા હતા. અખિલેશ યાદવે યોગી આદિત્યનાથની ટીપ્પણી પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે સમાજવાદી પાર્ટી વિકાસનું રાજકારણ કરે છે અને વાસ્તવિક મુદ્દો સમસ્યાગ્રસ્ત ખેડૂતો દ્વારા આપઘાતનો મામલો છે.

(8:39 pm IST)