Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઉત્તરપ્રદેશમાં શ્રીરામના સ્ટેચ્યુની બાજુમાં સીતાજીનું સ્ટેચ્યુ પણ મુકો : ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથ સમક્ષ કોંગી આગેવાન કરણસીંઘની રજુઆત

 

 અયોધ્યા : અયોધ્યામાં  યુ.પી.ના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથએ શ્રી રામનું  221 મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે.તેવા સંજોગોમાં કોંગી આગેવાન કરણસિંઘએ શ્રીરામના સ્ટેચ્યુની બાજુમાં સીતાજીનું પણ સ્ટેચ્યુ મુકવા અનુરોધ કર્યો છે.આ માટે તેમણે શ્રીરામના સ્ટેચ્યુની ઉંચાઈ જરૂર પડ્યે અડધી કરી બાકીની જગ્યામાં સીતાજીનું સ્ટેચ્યુ મુકવા ટ્વીટર દ્વારા અનુરોધ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:01 pm IST)