Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

ગઢચિરોલી જિલ્લાના ગ્યારાપટ્ટીના જંગલોમાં મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટ સાથેની અથડામણમાં 26 નક્સલીઓનો ખાત્મો : ચાર પોલીસ ગંભીર ઘવાયા

મુંબઈથી ૯૦૦ કિલોમીટર દૂર પૂર્વ મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં આજે ૨૬ નક્સલીઓના માર્યા ગયા હોવાનું સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું છે. જંગલમાંથી અત્યાર સુધીમાં ૨૬ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યાનું જિલ્લા પોલીસ વડા અંકિત ગોયલે જણાવ્યું છે.

મારડીનટોલા જંગલ વિસ્તારમાં કોરચી ખાતે સવારમા એસપી સૌમ્યા મૂંડેની આગેવાનીમાં સી-૬૦ પોલીસ કમાન્ડો ટીમ સાથે ગનબેટલ સર્જાયેલ. આ મુઠભેડમાં બળવાખોર નકસલીઓનો નેતા પણ ઠાર મરાયાનું મનાય છે. છત્તીસગઢની સરહદે આ જિલ્લો આવેલ છે. ચાર ગંભીર ગવાયેલા પોલીસ કમાન્ડોને હેલિકોપ્ટર દ્વારા નાગપુર લઈ જવામાં આવ્યા છે.

(8:57 pm IST)