Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

ધનતેરસના દિવસે તમારા ઘરે કિન્‍નર આવે અને કોઇ સિક્કો ચુમીને આપે તો ક્‍યારેય ધનની કમી નહીં રહેઃ જુદી-જુદી માન્‍યતાઓ

નવી દિલ્હી: 13 નવેમ્બર એટલે કે આજે ધનતેરસનો શુભ દિવસ છે. ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિ, કુબેરજી, અને માતા લક્ષ્મીની પૂજા થાય છે. પુરાણો મુજબ ભગવાન ધનવંતરિ સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશ લઈને સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. આ વિશેષ દિવસે તેમના પ્રગટ થવાના કારણે જ આજના દિવસને ધનતેરસ કહે છે. ધનતેરસના દિવસે પીતળ કે ચાંદીની વસ્તુ ખરીદવાની પણ પરંપરા છે. પુરાણોમાં ધનતેરસના દિવસે કઈંકને કઈંક જોવું પણ શુભ મનાય છે. જો તમે આ પાવન પર્વના દિવસે કેટલીક શુભ વસ્તુઓ જુઓ તો તમારા નસીબ આડેથી પાંદડું ખસી શકે છે અને રાતો રાત ભાગ્ય ચમકી શકે છે. આજ તમને અમે એવી જ કેટલીક ચીજ વસ્તુઓ વિશે જણાવીએ છીએ જે તમારો ભાગ્યનો સિતારો ચમકાવી શકે છે.

ધનતેરસના દિવસે તમારા ઘરે કિન્નર આવે અને પોતાની મરજીથી કોઈ સિક્કો ચૂમીને તમને આપે તો માની લો કે તમને ક્યારેય ધનની કમી નહીં રહે.

ધનતેરસના દિવસે સફેદ બિલાડી દેખાય તે પણ ખુબ શુભ મનાય છે. સફેદ બિલાડીને જોતા જ તમારા બગડેલા અને અધૂરા કામ પૂરા થવા લાગશે.

ધનતેરસના દિવસે જો કોઈ કન્યા તમને જણાવ્યાં વગર કઈંક ઉપહાર આપી દે અથવા તો સિક્કો આપે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે.

ધનતેરસ પર માતા લક્ષ્મીની પૂજા પણ થાય છે. લક્ષ્મીજીનું વાહન ઘૂવડ છે, આથી ઘૂવડ જોવા મળે તો પણ તે શુભ સંકેત મનાય છે.

ધનતેરસ પર રસ્તા પર પડેલા પૈસા મળી આવી તો તે પણ શુભ મનાય છે. જો તમે આજના દિવસે રોડ પર ક્યાંક પડેલા પૈસા ધ્યાનમાં આવે અને મળે તો તેને ઉઠાવવામાં જરાય મોડું ન કરતા અને તેને પર્સમાં સંભાળીને મૂકી દો. આમ કરવાથી તમારા ખિસ્સામાં ક્યારેય નાણાની તંગી નહીં રહે.

ધનતેરસના પાવન અવસરે રાતે ઘરમાં ગરોળી જોવા મળે તો ખુબ શુભ મનાય છે. ગરોળી દેખાય તો તમારી ખાડામાં ગયેલી તકદીર ચમકી શકે છે.

(4:51 pm IST)