Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

બે દિવસ પછી રાઉત હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થયાઃ કહ્યું મહારાષ્‍ટ્રમાં સીએમ શિવસેનાના જ થશે

     છાતીમાં દુખાવાની ફરિયાદ પછી મુંબઇની લીલાવતી હોસ્‍પિટલમાં ર દિવસથી દાખલ થયેલ સંજય રાઉતને બુધવારના હોસ્‍પિટલમાંથી રજા અપાઇ છે. જયાં એમની એન્‍જીયોપ્‍લાસ્‍ટી થઇ હતી.

     હોસ્‍પિટલની બહાર નીકળી રાઉતએ કહ્યું કે મહારાષ્‍ટ્રમાં હવે પછીના મુખ્‍યમંત્રી શિવસેના ના જ હશે. એમણે કહ્યું કે એનસીપી અને કોંગ્રેસથી સમર્થન લેવાની વાતચીતી ચાલી રહી છે.

(11:04 pm IST)