Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અયોધ્યા ચૂકાદોઃ યુપી પોલીસે સોશ્યલ મિડીયાની વાંધાજનક પોસ્ટ અંગે ૬૫ કેસ કર્યાઃ ૯૯ની ધરપકડઃ ૧૩,૦૧૬ પોસ્ટ ડીલીટ કરાવાઈ

નવીદિલ્હીઃ અયોધ્યા મામલે આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ઉત્તરપ્રદેશ પોલીસે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને અફવાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા અંગે સજાગતાથી કામ લઈ ૯૯ લોકોની ધરપકડ કરી છે. જયારે ૬૫ કેસ પણ નોંધવામાં આવ્યા છે. ડીજીપી ઓ.પી.સિંહની ઓફીસ મુજબ અયોધ્યા નિર્ણયથી સોશ્યલ મિડીયામાં ૧૨ નવેમ્બર સુધી આપત્તીજનક પોસ્ટ વિરૂધ્ધ કાર્યવાહી કરી તેમના વિરૂધ્ધ રીપોર્ટ સોંપી પોસ્ટ ડીલીટ કરાવવામાં આવેલ. આ ઉપરાંત પોલીસે ૧૪૪મી કલમ લાગુ કરવાની સાથે બજારોમાં કડક બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.

(12:57 pm IST)