Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

શું ભાજપ સાથે ફરી દોસ્તી કરશે શિવસેના ?

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો સંકેત...

મુંબઈ, તા. ૧૩ :. મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ કોઈપણ પક્ષને બહુમતી નહિ મળતા આખરે રાષ્ટ્રપતિ શાસન લદાય ગયુ છે. જો કે શિવસેનાએ હજુ પણ ભાજપ સાથે સુલેહના દરવાજા ખુલ્લા રાખ્યા છે. તેનો સંકેત શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં આપ્યો છે. તેમણે કહ્યુ છે કે ભાજપે શિવસેના સાથે સંબંધ તોડયો છે શિવસેનાએ નહિ.

તેમણે કહ્યુ હતુ કે ભાજપ સાથેનુ ઓપ્શન હજુ સમાપ્ત નથી થયું. ભાજપે જ સંબંધ તોડયા છે. મેં ભાજપ સાથેના સંબંધો હજુ તોડયા નથી. તેમના આ નિવેદનથી જણાય છે કે તેઓ હવે ફરી જૂની મિત્રતા બાંધવા તૈયાર થયા છે. જોવાનુ એ છે કે તેઓ કોઈ બાંધછોડ કરે છે કે પછી કોઈ શરતો મુકે છે.

કોંગ્રેસ અને એનસીપી સાથે શિવસેનાનું ગઠબંધન શકય બનતુ જણાતુ ન હોવાથી શિવસેના પણ હવે ઠંડુ પડયુ છે અને તે પોતાના જૂના સાથી સાથે પરત આવે તેવી શકયતા છે.

(11:35 am IST)