Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

યુપીમાં મોટી દુર્ઘટના ટળીઃ ચંન્દ્રશેખરની સુજબુજથી દૂન એકસપ્રેસ અકસ્માતગ્રસ્ત થતા બચી

ગેટમેને ૭૦૦ મીટર દોડી ટ્રેનના ડ્રાયવરને જાણ કરતા

જોનપુરઃ દહેરાદુનથી હાવડા જઈ રહેલ દુન એકસપ્રેસ ટ્રેન ગેટમેનની સમજદારીથી દુર્ઘટનાગ્રસ્ત બનતા અટકી હતી. યુપીના વારાણસી પાસે ગોડીલા ફાટક નજીક ટ્રેનના પાટા તુટેલા હોવાની સુચના મળતા ગેટમેન ચન્દ્રશેખરે એક પળનો પણ વિલંબ કર્યા વિના ૭૦૦ મીટર સુધી દોડીને ટ્રેનના ડ્રાયવરને જાણ કરતા હોનારત થતા સહેજમાં બચી હતી. આ માહિતી બાજુના ગામના રહેવાસી રાજકુમાર ચૌહાણે પોતાના ગામ જાતા સમયે પાટા તુટેલા જોઈ ગેટમેન ચંદ્રશેખરને આપી હતી. બંન્નને રેલ્વે અધિકારીઓએ રોકડ ઈનામ આપી બીરદાવ્યા હતા.

(3:34 pm IST)