Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અયોધ્યામાં મસ્જિદ બનશે તો પણ નમાજ શક્ય નહી બની શકે: રિઝવી

રાષ્ટ્રીય લઘુમતી પંચના અધ્યક્ષ ગયૂરુલ હસન રિઝવી અયોધ્યા રામ મંદિરના પક્ષમાં

અયોધ્યા : રાષ્ટ્રીય લઘુમતિ પંચના વડા ગરૂરુલમ હસન રિઝવીએ કહ્યું કે, અનેક મુસ્લિમ સંગઠનો અયોધ્યામાં રામ મંદિર બને તેના પક્ષમાં છે. તેમણે તર્ક આપ્યો કે અયોધ્યામાં રામ મંદિરન બની જવાથી શાંતિ સ્થાપિત થશે. તેમણે તેમ પણ જણાવ્યું કે, જો અયોધ્યામાં મસ્જિદ બની પણ જશે તો ત્યાં નમાજ નહી પઢી શકાય. 

રિઝવીએ કહ્યું કે, અમે 14 નવેમ્બરે એક મીટિંગ યોજી રહ્યા છે. અનેક મુસ્લિમ સંગઠન જેમણે મારી સાથે મુલાકાત કરી તમામ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનાં પક્ષમાં છે કારણ કે જો ત્યાં મસ્જિદનું નિર્માણ થઇ પણ જાય છે તો ત્યાં નમાજ અદા કરી શકાશે નહી. રામ મંદિર બની જવાનાં કારણે ન માત્ર અયોધ્યા પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં શાંતિ સ્થાપિત થશે. માટે અનેક મુસ્લિમ સંગઠનો પણ રામ મંદિર બને તે માટે ઇચ્છુક છે.

(12:00 am IST)