Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અયોધ્યા અને મથુરા જિલ્લામાં માંસ અને શરાબના વેચાણ પર યોગી સરકાર પ્રતિબંધ મૂકે તેવી શકયતા

લખનૌ :નવું નામ પામેલા અયોધ્યા જિલ્લાની ભૌગોલિક સરહદોની અંદર માંસ અને શરાબના વેચાણ પર ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સરકાર પ્રતિબંધ મૂકે એવી શક્યતા છે.

  આ જ પ્રકારનો પ્રતિબંધ મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થળ તથા રાજ્યમાં અન્ય પવિત્ર ગણાતા સ્થળોએ અને તેની આસપાસ પણ મૂકવામાં આવે એવી ધારણા છે.

(12:00 am IST)