Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

નેપાળમાં મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકી : ૩૨ના મોત

નેપાળના સૌથી મોટા તહેવાર દશેરા નિમિત્ત્।ે ભારતથી નેપાળીઓ ઘરે પરત ફરી રહ્યા હતાઃ મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો સામેલ : બસનું ટાયર ફાટતાં નિયંત્રણ ગુમાવ્યુ :બસમાં સ્ટાફ સાથે ૪૨ લોકો સવાર હતા, જે બસ કેપિસિટીથી વધારે હતા

કાંઠમાંડૂ,તા.૧૩: નેપાળના મૂગુ જિલ્લામાં મંગળવારે થયેલી બસ દર્ઘટનામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા છે જયારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ભયાનક દર્ઘટના અહીંના છાયાનાથ રારા નગર નિગમ વિસ્તારમાં થઇ હતી જયારે મુગુ જિલ્લાના મુખ્ય વિસ્તાર ગમગાધી તરફ આવી રહેલી મુસાફરોથી ગીચોગીચ ભરેલી એક બસ નદીમાં ખાબકી હતી.

દુર્ઘટનાગ્રસ્ત બસમાં સવાર મુસાફરો પૈકી મોટાભાગના લોકો દુર્ગા પૂજાના પર્વે અલગ-અલગ સ્થળોએથી પોતાના દ્યરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત બાદ સુરખેતથી નેપાળી સેનાનું હેલીકોપ્ટર રાહત કામ માટે રવાના કરવામાં આવ્યું હતું. મુગુ કાંઠમાંડૂથી ૬૫૦ કિલોમીટર ઉત્ત્।ર-પશ્ચિમમાં સ્થિત રારા સરોવર માટે પ્રસિદ્ઘ છે.

ઘટના અંગે જણાવતાં મુગુ જિલ્લાના અધિકારીએ જણાવ્યું કે, કરનાલી સ્ટેટના મુગુ જિલ્લાના પિના ગામ ખાતે થયેલા બસ અકસ્માતમાં ૨૪ મુસાફરો દ્યટનાસ્થળે જ દમ તોડી ચૂકયા હતા. આ સિવાય બાકીના મુસાફરોએ હોસ્પિટલ જતાં રસ્તામાં અને સારવાર દરમિાયન દમ તોડ્યો હતો. માહિતી મુજબ દુર્ઘટના સમયે બસમાં સ્ટાફ સહિત ૪૨ લોકો સવાર હતા. મૃતકોમાં મોટાભાગે વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરો સામેલ છે, જેઓ નેપાળના સૌથી મોટા તહેવાર દશેરા માટે ભારતથી સ્વદેશ પરત ફરી રહ્યા હતા.

અકસ્માતમાં ઇજા પામેલા લોકો પૈકી ૧૪ લોકોને હેલીકોપ્ટર અને અન્ય એર સર્વિસની મદદથી નેપાલગંજ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતને નરી આંખે જોનારા સ્થાનિકોનું કહેવુ હતું કે, રસ્તાના સૌથી પડકારજનક વિસ્તારમાં બસનું ટાયર ફાટતાં ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું. આ દરમિયાન બસ ઊંચાઇથી ગબડતી ગબડતી ૩૦૦ મીટર ઊંડે નદીમાં ખાબકી હતી. આ પહેલા નેપાળના ગંડકી સ્ટેટનના કાસ્કી જિલ્લામાં જીપ દુર્ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. રિપોર્ટ મુજબ, દુર્ઘટનાની ગંભીરતાને જોતાં મૃત્યુઆંક વધી શકે છે.

(9:54 am IST)