Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

રાજનાથસિંહની ઈમરાનને ઓફર : આતંકવાદ સામે લડવા ગંભીર હો, તો મદદ માટે લશ્કર અમે મોકલશું

નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે રવિવારે કહ્યું કે,ઇમરાનખાન આતંકવાદ સામે લડવા માટે ગંભીર જ હોય તો નવી દિલ્હી પાકિસ્તાનની મદદે લશ્કર મોકલવા તૈયાર છે,

  હું પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનને એક સૂચન આપવા માંગુ છું,જો તમે આતંક સામે લડવા પૂરતા ગંભીર છો,તો અમે તમને સહાય કરવા તૈયાર છીએ,જો તમને સૈન્ય સહાય જોઈએ છે તો અમે લશ્કરને તમારી સહાય માટે મોકલીશું,

  સોનિપટમાં એક રેલીમાં ન્યુઝ એજન્સી એનઆઈને રાજનાથસિંહે જણાવ્યું હતું

   રાજનાથસિંહે પાકિસ્તાનને તેની વિચારસરણી બદલવાની ચેતવણી અપાતા કહેલ કે જો તેમ નહીં કરો તો 1971ની જેમ પાકિસ્તાનના ફરીથી ભાગલા થશે

(11:13 pm IST)