Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

વ્યક્તિગત વિશ્વાસપાત્રતા અને રાજકીય રણનીતિ વિશે કંઇ જાણતા ન હોય તેવા લોકો મને જ્ઞાન આપે ત્યારે હેરાની થાય છે : પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પોતાની જ પાર્ટીના નેતાઓ પર ભડાસ કાઢી

નવી દિલ્‍હી :  પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પોતાની જ પાર્ટીના નેતાઓ પર ભડાસ કાઢી છે. સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી અને કોંગ્રેસના નેતાઓની જ ઝાટકણી કાઢી હતી. તેઓએ કહ્યું કે વ્યક્તિગત વિશ્વાસપાત્રતા અને રાજકીય રણનીતિ વિશે કંઇ જાણતા ન હોય તેવા લોકો મને જ્ઞાન આપે ત્યારે હેરાની થાય છે.

એટલે હું એકવાર તેમને જણાવવા માગું છું કે હું વિશ્વાસ અને નિષ્ઠાને ભરોસો અને વ્યક્તિગત પસંદગી માનું છું. આ સમયે મતભેદથી નીકળી અને આગળ વધવાનો છે. ગંભીર ક્ષણોમાં રાજકીય ચુપ્પી સમજદારી કહેવાય છે પરંતુ સાથે સાથે બોલવું પણ ભવિષ્ય માટે જરૂરી હોય છે.

સલમાન ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ ભાજપ જેવી પાર્ટી નથી અને ન બનવું જોઇએ. મહાત્મા ગાંધીની વિરાસત બચાવવા માટે આપણે મોટા સંઘર્ષની તૈયારી કરવી પડશે, અને વિરોધ અને મીડિયા ભલે કંઇ પણ કહે પરંતુ હું માનું છું કે રાહુલ ગાંધીએ આ વિશાળ પાર્ટીના અધ્યક્ષ તરીકે વાપસી કરવી જોઇએ

 

(11:33 am IST)