Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેં.૨૦૧૯ના રોજ કરતારપુર કોરિડોર ખુલ્લો મુકશેઃ શીખ યાત્રાળુઓ વિઝા વિના પાકિસ્તાનના કરતારપુર મુકામે જઇ શકશેઃ કેન્દ્રીય મંત્રી સુશ્રી હરસિમરત કૌરએ ટિવટર દ્વારા કરેલી ઘોષણાં

પંજાબઃ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૮ નવેં. ૨૦૧૯ના રોજ ભારતથી કરતારપુર જતો કોરિડોર ખુલ્લો મુકશે. આ કોરિડોર ભારતના ગુરદાસપુરના ડેરા બાબા નાનકને પાકિસ્તાનના કરતારપુર સાહિબ સાથે જોડશે.

આ કોરિડોરથી ભારતીય શીખ યાત્રાળુઓ વિઝા વિના પાકિસ્તાન જઇ શકશે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરએ ટિવટરના માધ્યમથી આ જાણકારી આપી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:58 pm IST)