Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

વડાપ્રધાન મોદીએ ૭ તો યોગી આદિત્યનાથે ૪ વર્ષથી નથી લીધી એક પણ રજાઃ સતત પ્રજા માટે કર્યુ કામ

નવી દિલ્હી, તા.૧૩: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સાત વર્ષના કાર્યકાળમાં એક પણ રજા નથી લીધી. ઉત્ત્।ર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ છેલ્લા ચાર વર્ષથી સતત કામ કરી રહ્યા છે. પીએમ અને દેશના સૌથી મોટા રાજયના મુખ્યમંત્રી અંગે આ દાવો યૂપીના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કર્યો છે.

શર્માએ જણાવ્યું કે સાચા દેશભકત એ છે જે પોતાના માટે નહીં, પરંતુ સમાજ માટે કામ કરે. તેમણે જણાવ્યું કે આવી વ્યકિત બદલાવ લાવી શકે છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જાતિ અને સમુદાયના નામ પર ભેદભાવ નથી કરતી. યોગી સરકારે છેલ્લા સાડા ચાર વર્ષોમાં જે યોજનાઓ ચલાવી, તેનાથી સમાજના દરેક લોકો સુધી લાભ પહોંચ્યો છે.

(3:38 pm IST)