Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

મુંબઈ :ગણેશોત્સવમાં 23 કેરેટના 70 કિલો સોનાથી સજાવેલી ગણેશજીની મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર

મુંબઈ :હાલ સમગ્ર દેશના લોકો ગણેશોત્સવનાં રંગે રંગાયેલા છે. ત્યારે મુંબઈના સાયનમાં બનેલો પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જી હા, તેનું કારણ બાપ્પાની મૂર્તિને કરાયેલો શણગાર છે. અહીં સાયન પૂર્વના GSB સેવા મંડળે બાપ્પાની મૂર્તિને શણગારવામાં 23 કેરેટ સોનાનો 70 કિલો સોનાનો ઉપયોગ કર્યો છે. આ પંડાલની સુરક્ષા માટે ડ્રોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(1:36 pm IST)