Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વર્ષ 2022 સુધીમાં ભારત ધનકુબેરોની સંખ્યામાં ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી નિકળી જશે આગળ

નવી દિલ્હી :છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં શ્રીમંતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે નાઇટ ફ્રેંકના એક રિપોર્ટ પ્રમાણે 2022 સુધીમાં ભારતમાં ધનકુબેરોની સંખ્યા ફ્રાંસ, રશિયા અને બ્રિટેનથી વધારે થઇ જશે. આપને જણાવી દઈએ કે, ભારતમાં 2017માં 200 અરબપતિ હતા જે 2022 સુધી વધીને 340 થઈ જશે. જ્યારે ફ્રાંસમાં 310 તેમજ યુકે અને રશિયામાં તેની સંખ્યા 220 થઈ જશે.

(8:18 pm IST)