Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સંસ્થાઓ, હોસ્પિટલો અને શાળાઓએ દરેકે પાઇ પાઇનો હિસાબ રાખવો પડશેઃ દસ વર્ષ સુધી રાખવા પડશે રેકોર્ડ

નવા નિયમો ૧ ઓકટોબરથી લાગુ થશે

ઇન્દોર, તા.૧૩: આવકવેરા વિભાગ ચેરિટેબલ ટ્રસ્ટ, હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ પર કડક બન્યું છે. તમામ સંસ્થાઓ અને ટ્રસ્ટોએ હવે કોર્પોરેટ કંપનીની જેમ દરેક પાઇનો હિસાબ આપવો પડશે. ૧૦ વર્ષ સુધીના સમગ્ર વ્યવહારની વિગતો સાચવવી ફરજિયાત કરવામાં આવી છે. આ નિયમો ૧ ઓકટોબરથી તમામ ટ્રસ્ટ અને સંસ્થાઓ પર લાગુ થશે. ઇન્કમ ટેકસ એકટમાં સુધારો કરીને નાણા મંત્રાલયે ૧૦ ઓગસ્ટે નવા નિયમોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

 

દરેક ટ્રસ્ટ, શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, યુનિવર્સિટીએ તેમની રોકડ પુસ્તક, ખાતાવહી, જર્નલ સાથે દરેક બિલ, દરેક ચુકવણીની રસીદો રાખવાની રહેશે.

 

જો કોઈ વ્યકિત પાસેથી દાન મળ્યું હોય તો તે મુજબ દાન આપનારનો ભ્ખ્ફ, આધાર નંબર જેવી માહિતી પણ રાખવી પડશે.

ટ્રસ્ટે લોન ટ્રાન્ઝેકશનનો રેકોર્ડ પણ જાળવવાનો રહેશે.

જો આવા ટ્રસ્ટો કે ધાર્મિક-સખાવતી સંસ્થાઓ તેમના સુધારા-વધારા, સમારકામ પાછળ ખર્ચ કરે છે તો તેમના બિલ વગેરે પણ રેકોર્ડમાં રાખવાના રહેશે.

વિભાગે નિર્દેશ આપ્યો છે કે આ રેકોર્ડ ઈલેકટ્રોનિક સ્વરૃપમાં પણ સાચવવામાં આવે. સંબંધિત પ્રાદેશિક અધિકારીને જાણ કરવામાં આવશે કે રેકોર્ડ ક્યાં રાખવામાં આવ્યો છે. ૧૦ નાણાકીય વર્ષનો રેકોર્ડ જાળવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ જ્યારે પણ માંગશે ત્યારે છેલ્લા દસ વર્ષની આવક અને ખર્ચનો હિસાબ આપવો પડશે. કોઈપણ કિસ્સામાં આવકવેરા વિભાગ કલમ ૧૪૭ હેઠળ નોટિસ આપે છે, તો આવા કિસ્સામાં રેકોર્ડ સંરક્ષણનો સમયગાળો ૧૦ વર્ષ સુધી મર્યાદિત રહેશે નહીં. નવા નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ પૂરો ન થાય ત્યાં સુધી આખો રેકોર્ડ સાચવવો પડશે.

ઈન્દોર સીએ બ્રાન્ચના પૂર્વ પ્રમુખ પંકજ શાહના જણાવ્યા અનુસાર નવા નિયમો અનુસાર ટ્રસ્ટ અને સંસ્થાઓ માટે નાણાકીય રેકોર્ડ જાળવવાનું સરળ રહેશે નહીં. તેમના જાળવણી અને હિસાબી ખર્ચમાં ચોક્કસપણે વધારો થશે. આ પાછળ ઈન્કમટેકસ વિભાગનો ઈરાદો ટેકસ વસૂલવાનો દેખાતો નથી. ટ્રસ્ટોને આવકવેરામાંથી મુકિત આપવામાં આવે છે, પરંતુ જે ટ્રસ્ટ ધોરણો અનુસાર રેકોર્ડ જાળવતા નથી તેમની મુકિત આવકવેરો માફ કરી શકે છે. આવી સ્થિતિમાં, ટ્રસ્ટોને ઊંચા કર દર અને મુકિતના જોખમનો સામનો કરવો પડશે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓની સાથે હોસ્પિટલો, શાળાઓ અને કોલેજો પણ ટ્રસ્ટ તરીકે નોંધાયેલા છે. અત્યાર સુધી તેમના હિસાબ ચોપડાની જાળવણી અંગે કોઈ સ્પષ્ટ નિયમ ન હતો. નવા નિયમો બાદ ધાર્મિક-સામાજિક ટ્રસ્ટો પર દાન અને ખર્ચની વિગતો રાખવી મુશ્કેલ બનશે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ પર ખાસ અસર પડશે. હોસ્પિટલો અને શાળાઓ અને કોલેજો અત્યાર સુધી દાવો કરે છે કે તેઓ નફા-નુકસાન વગર કાર્યરત છે. તેમને ટેકસમાં છૂટ મળે છે. જેના આધારે તેઓને દર વર્ષે ફી વધારો અને ગ્રાન્ટ વગેરે મળતી રહી છે. હવે તેમના માટે આવક છુપાવવી અને ખોટ દર્શાવવી સરળ રહેશે નહીં.

(3:34 pm IST)