News of Saturday, 13th August 2022
મુંબઇ, તા.૧૩: (૧૧ ઓગસ્ટ) રિલીઝ થયેલી ‘લાલ સિંહ ચઢ્ઢા' ઘણા દિવસથી ટ્રેન્ડ થઈ રહી હતી અને સોશિયલ મીડિયા યૂઝર્સે તેને બોયકોટ કરવાની માગ કરી હતી. હવે, આ ફિલ્મ પર વધુ એક મુસીબત આવી પડી છે. વાત એમ છે કે, દિલ્હીના એક વકીલે શુક્રવારે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા સમક્ષ એક્ટર આમિર ખાન પેરામાઉન્ટ પિક્ચર્સ અને અન્ય કેટલાક સામે કથિત રીતે ભારતીય સેનાનો અનાદર અને હિંદુ ધર્મના લોકોની લાગણી દુભાવવાનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. વકીલ વિનીત જિંદાલે દિલ્હી પોલીસ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા'માં વાંધાજનક કન્ટેન્ટ છે અને તેમણે આમિર ખાન, ડિરેક્ટર અદ્ધૈત ચંદન અને પેરામાઉન્ટ પિક્ચર્સ વિરુદ્ધ ત્ભ્ઘ્ની કલમ ૧૫૩, ૧૫૩ખ્, ૨૯૮ અને ૫૦૫ હેઠળ ગુનો નોંધવાની માગ કરી હતી.
ફિલ્મમાં, મેકર્સે દર્શાવ્યું છે કે કારગિલ યુદ્ધમાં લડવા માટે દિવ્યાંગ વ્યક્તિને આર્મીમાં જોડાવાની મંજૂરી આપવામાં આવે છે. તે જાણીતી હકીકત છે કે, કારગિલ યુદ્ધ લડવા માટે શ્રેષ્ઠ રીતે તાલીમ પામેલા જવાનોને મોકલવામાં આવ્યા હતા અને તેમણે યુદ્ધ લડ્યું હતું, પરંતુ ફિલ્મના મેકર્સે ઈરાદાપૂર્વક ભારતીય સેનાને નિરાશ કરવા અને બદનામ કરવા માટે આ સ્થિતિનું ચિત્રણ કર્યું હતુંઁ, તેમ જિંદાલે તેમની ફરિયાદમાં કહ્યું હતું.
ફરિયાદીએ એક સીન સામે પણ વાંધો ઉઠાવ્યો હતો, જે તેમણે ફિલ્મનો ભાગ હોવાનો દાવો કર્યો હતો, જેમાં એક પાકિસ્તાનીકર્મી લાલ સિંહ ચઢ્ઢાના પાત્રને પૂછે છે, હું નમાઝ અદા કરું છું અને ‘પ્રાર્થના કરું છું, લાલ, તું કેમ આમ નથી કરતો?'ત્યારે ચઢ્ઢા (આમિર ખાન દ્વારા ભજવવામાં આવેલું પાત્ર) જવાબમાં કહે છે મારી માતાએ કહ્યું હતું કે આ તમામ પૂજા-પાઠ મેલેરિયા છે. તે રમખાણોનું કારણ બને છેઁ. ફરિયાદીએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં નિવેદન અને રજૂઆત માત્ર લાગણીઓને ઠેસ પહોંચાડનારું જ નહીં પરંતુ હિંદુ ધર્મના અનુયાયીઓમાં રોષની લાગણીઓનું કારણ પણ બન્યું છેઁ. ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું હતું કે, ભારતીય બંધારણ દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે પરંતુ આ અધિકારનો દુરુપયોગ અકલ્પનીય છે, જ્યારે તે દેશના સન્માનને જોખમમાં મૂકે છે તેમજ સમાજ અને ધર્મના આધારે નાગરિકોને ઉશ્કેરે છે, ત્યારે તેને ગંભીક ગુના તરીકે ગણવામાં આવે છે.
આરોપીએ ફિલ્મમાં આપેલું નિવેદન પૂજા-પાઠ મેલેરિયા છે અને તે રમખાણોનું કારણ બને છે, તે પણ ઉશ્કેરણીજનક છે અને સમગ્ર હિંદુ સમાજને લક્ષ્યમાં રાખીને બદનામીભર્યું નિવેદન છે, તેવો દાવો તેમણે કર્યો હતો. આમિર ખાન એક એક્ટર અને પબ્લિક ફિગર છે, જેનો લોકો પર મોટો પ્રભાવ છે, તેનું આ નિવેદન હિંદુ સમાજના ઉશ્કેરે છે અને દેશની સુરક્ષા, શાંતિ અને સલામતીને પણ જોખમમાં મૂકે છે તેમજ જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડે છે, તેમ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ‘લાલ સિંહ ચઢ્ઢા' એ ૧૯૯૪માં આવેલી હોલિવુડની ક્લાસિક ‘ફોરેસ્ટ ગમ્પ'ની હિંદી રિમેક છે. ફિલ્મમાં કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય પણ મહત્વના રોલમાં છે.