Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આસામના નેતાનું વિવાદાસ્પદ બયાન

ભાજપામાં જોડાવાથી કોંગ્રેસમાં કરેલા પાપ ધોવાઇ જાય છે

ગૌહતી તા. ૧૩: આસામનાં ભાજપા ધારાસભ્ય શિલાદિત્ય દેવે એક વિવાદાસ્પદ બયાનમાં કહ્યું છે કે ભાજપામાં જોડાવું તે ગંગા નહાવા જેવું છે. કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાવાથી લોકો પવિત્ર થઇ જાય છે. જેમણે પણ કોંગ્રેસમાં રહીને કુકૃત્યો કર્યા હોય તે બધા પવિત્ર ગંગા નદી જેવા ભાજપામાં જોડાવાથી ધોવાઇ જાય છે.

દેવે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસી નેતાઓ માટે ભાજપામાં જોડાવાના દરવાજા હંમેશા ખુલ્લા છે. તેમણે ત્યાં સુધી કહી દીધું કે આસામ બહુ ટુંક સમયમાં કોંગ્રેસ મુકત રાજય બની જશે. તેમણે કહ્યું કે કોંગ્રેસે આસામમાં પોતાના કાર્યકરોને ભાજપામાં જોડાવવા માટે એક ઓફીસ ખોલી નાખવી જોઇએ. અત્યારે પણ કેટલાક એવા કોંગ્રેસી નેતાઓ તેમના સંપર્કમાં છે જેઓ ભાજપામાં જોડાવા માંગે છે.

(3:35 pm IST)