Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

યુપીમાં કોંગ્રેસને ગઠબંધનથી દૂર રાખશો તો ભાજપ લાભ લઇ જશે : સપા અને બસપાને સલમાન ખુર્શીદે ચેતવ્યા

નવી દિલ્હી :કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને ચેતવ્યા છે ખુર્શીદે જણાવ્યુ કે, 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર રાખવી એ યોગ્ય નથી. આમ કરવાથી ઉત્તર પ્રદેશમાં ભાજપને લાભ થઈ શકે છે.

રાહુલ ગાંધીએ સંદેશ આપ્યો છે કે, પીએમ પદના ઉમેદવારની પળોઝણમાં પડ્યા વગર મહાગઠબંધન પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવુ જોઈએ. કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં ઓછી આંકવી ન જોઈએ.

ખુર્શીદે વધુમાં જણાવ્યુ કે, 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે સારો દેખાવો કર્યો હતો. કોંગ્રેસ હમેશા અનેક બેઠક પર નિર્ણાયક રહી છે. જેથી બસપા અને સપાએ  કોંગ્રેસને ગઠબંધનમાંથી બહાર કરવી ન જોઈએ.

(8:58 pm IST)