Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

શપથ ગ્રહણમાં જતા પહેલા નવજોત સિદ્ધુ શહિદ જવાનના પરિવાર સાથે મુલાકાત લ્યે :શિવસેના

ઇમરાનખાનની શપથવિધિમાં જવા મામલે નવજોતસિંહ સિદ્ધુ પર શિવસેનાના પ્રહાર

મુંબઈ :શિવસેનાએ ઈમરાન ખાનની શપથ વિધિમાં હાજરી આપવા પાકિસ્તાન જનાર કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યા છે શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યુ કે, ઈમરાન ખાનના શપથ ગ્રહણમાં જતા પહેલા સિદ્ધુએ શહિદ જવાનના પરિવાર સાથે મુલાકાત કરવી જોઈએ.

  શહીદના બાળક અને તેની પત્ની સાથે મુલાકાત કર્યા બાદ  સિદ્ધુને શાંતિ મળે તો ઈમરાન ખાનની શપથ વિધિમાં હાજરી આપવા પાકિસ્તાન જવુ જોઈએ.

   અત્રે ઉલલખનીય છે કે પાકિસ્તાનના પીએમ પદના શપથ ગ્રહણ સમારોહમાં ઈમરાન ખાને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, નવજોત સિદ્ધૂ અને સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપ્યુ છે.  જેમાથી ઈમરાન ખાનના આમંત્રણનો  નવજોતસિંહ સિદ્ધુએ સ્વિકાર કર્યો છે. જેથી શિવસેનાએ નવજોતસિંહ સિદ્ધુ પર પ્રહાર કર્યા

(7:01 pm IST)