Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

કેરળમાં કોરોનાનો કહેર વધ્યો : દેશમાં નવા 40.215 કેસ નોંધાયા : વધુ 42.338 દર્દીઓ રિકવર થયા : વધુ 623 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.11.439 થયો :એક્ટીવ કેસ 4.24.154 થયા : કુલ કેસની સંખ્યા 3.09 .44.949 થઇ

સૌથી વધુ કેરળમાં 14.539 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7243 કેસ,આંધ્રપ્રદેશમાં 2567 કેસ, તામિલનાડુમાં 2505 કેસ, આસામમાં 2169 કેસ,ઓરિસ્સામાં 1930 કેસ, કર્ણાટકમાં 1913 કેસ,મધ્યપ્રદેશમાં 1390 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  આજે દેશમાં કોરોનાનાં નવા 40.215 કેસ નોંધાયા છે. જ્યારે 42.338 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 40.215 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 623 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.11.439 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 40.215 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.09.44.949 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.24.154 થઇ છે છેલ્લા 24 કલાકમાં 42.338 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.00.97.096 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 14.539 કેસ, મહારાષ્ટ્ર્રમાં 7243 કેસ,આંધ્રપ્રદેશમાં 2567 કેસ, તામિલનાડુમાં 2505 કેસ, આસામમાં 2169 કેસ,ઓરિસ્સામાં 1930  કેસ, કર્ણાટકમાં 1913 કેસ,મધ્યપ્રદેશમાં 1390 કેસ  નોંધાયા છે

(1:00 am IST)