Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

શું ભારત કોવિડ-19 સામેની લડતમાં સારી સ્થિતિમાં છે?. વધતા સંક્રમણને લઈને રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા

ભારત સાથે દુનિયાના અન્ય દેશોમાં કોરોનાના કેસનો ચાર્ટ રજૂ કર્યો

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમા કોરોના વાઇરસના વધતા સંક્રમણને લઇને સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા કર્યા છે. તેમણે ભારતમા કોરોના વાઇરસના વધી રહેલા કેસો સામે દુનિયાની બીજા દેશોમા કોરોના વાઇરસના કેસોમા થઇ રહેલા વધારાનો એક ચાર્ટ રજુ કર્યો હતો. તેની સાથે એક ટ્વિટ કરી હતી કે, શું ભારત કોવિડ-19 સામેની લડતમાં સારી સ્થિતિમાં છે?.

દેશમા છેલ્લા 24 કલાકમા કોરોના વાઇસના સંક્રમણના 28,701 કેસો સામે આવતા કુલ કેસની સંખ્યા 8,78,254 થઇ ગઇ છે. જો કે આ વાઈરસના કારણે 500 લોકોના મૃત્યુ થઇ ગયા છે. તેથી કુલ મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 23,174 થઇ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામા આવેલા આંકડા મુજબ, કોરોના વાઇરસથી અત્યાર સુધીમા 5,53,470 લોકો સાજા થઇ ગયા છે અને 3,01,609 લોકોની સારવાર ચાલી રહેલી છે તેમજ એક વ્યક્તિ દેશની બહાર પણ ગયો છે.

એક અધિકારીના મત અનુસાર અત્યાર સુધી આ વાઈરસથી સાજા થનાર લોકોનો રિક્વરી રેટ 63.01% છે. કોરોના પોઝીટીવ કેસોમા કેટલાક વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.

(1:04 pm IST)