Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

તિરૂમાલાના મંદિરમાં બે કિલો સોનાનું દાન

તરૂપતિ,તા.૧૩: તિરુમાલાના ભગવાન વેંકટેશ્રર મંદિરમાં કોઇ અજ્ઞાત ભકતે હુંડીમાં બે કિલો સોનાની ૨૦ લગડીનું દાન કર્યું હોવાની માહિતી મંદિરના સૂત્રોએ રવિવારે જાહેર કરી હતી.

તિરૂમાલા મંદિર ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે રવિવારે જયારે આગલા દિવસના દાનની રકમ ગણવા માટે હુંડી ખોલવામાં આવી ત્યારે એમાંથી સોનાની ૨૦ લગડી નીકળી હતી અને એનું વજન બે કિલો જેટલું થયું હતું.

કોરોના વાઇરસના રોગચાળાને લીધે મંદિર લાંબા સમય સુધી બંધ રહ્યું હતું અને ૧૧મી જૂનથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

મંદિર ફરીથી ખૂલ્યા બાદ અઢી લાખ જેટલા ભકતોએ ભગવાન વેંકટેશ્રરના દર્શન કર્યા હતા અને ગયા મહિનામાં મંદિરને રૂ. ૧૬.૭ કરોડનું દાન મળ્યું હતું.

આ સિવાય વિવિધ કારણોસર ટિકિટ બુક કરાવ્યા છતાં ૬૭,૦૦૦ ભકતો દર્શન કરવા નહોતા આવ્યા.

મંદિરના ૩૫૬૯ કર્મચારીઓના કોરોના વાઇરસ માટેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમાંથી ૯૧ કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યા હતા.

(10:39 am IST)