Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

ભારતીય ક્યારેય મારી ટીકા કરતા નથી : રબી પીરઝાદા

પાકના લોકો મારા અવાજને લાયક નથી : સિંગર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપનારી પાક. સિંગર રબી પીરઝાદાને હવે પાકિસ્તાન કેમ છોડવું છે ?

ઈસ્લામાબાદ, તા. ૧૨ : થોડા સમય પહેલાં એક પાકિસ્તાના સિંગરે ભારતના વડાપ્રધાન નરન્દ્ર મોદી અંગે વાંધાજનક ટ્વિટ કરી હતી. જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેનંુ નામ રબી પીરઝાદા છે. હવે એવું લાગે છે કે રબીને પાકિસ્તાન રાસ આવી રહ્યું નથી. તેને હવે પાકિસ્તાનમાં રહેવું નથી. સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહેતી રબી પીરઝાદાની આ વાતથી સોશિયલ મીડિયામાં હલચલ મચી ગઇ છે. રસપ્રદ એ છે કે વડાપ્રધાન મોદીની ટીકા કરનારી રબી હવે ભારતના લોકોના વખાણ કરી રહી છે. તેણે એક ટ્વિટ કરી છે, જેમાં ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે તુલના કરતા લખ્યું કે, "પાકિસ્તાન અને ભારતના લોકોમાં આ જ ફરક છે કે ભારતીય ક્યારેય મારી ટીકા કરતા નથી. રબીએ ભારતીય નાગરિક બની ગયેલા અદનાન સામીનો પણ ઉલ્લેખ કર્યો અને લખ્યું લોકો તેમના અવાજ અને ટેલેન્ટને લાયક નથી. તેથી હું પણ એક દિવસ પાકિસ્તાન છોડી દઇશ." રબીએ આમ તો ઘણા સમય પહેલાં જ સિંગિંગને અલવિદા કરી દીધી છે.

         તેને પગલે સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ટ્રોલ કરવા માંડી. ઘણાએ વખાણ કર્યા તો, અનેક ટીકા પણ કરી. જો કે વિવાદ વધતા રબીએ પોતાની ટ્વિટ ડિલિટ કરી દીધી અને સ્પષ્ટતા પણ કરી. જવાબમાં અદનાન સામી એ પણ ટવીટ કરી કે, "હું દુઆ કરું છું કે અલ્લાહ તમારું હંમેશા રક્ષણ કરે. તમે જ્યાં પણ રહો, ખુશ રહો અને તંદુરસ્ત રહો." રબી પિરઝાદાએ અગાઉ વડાપ્રધાન મોદી સામે વાંધાજનક ટ્વિટ કરી હતી. તેણે એક વીડયોમાં મોદીને ધમકી પણ આપી હતી. ૫૦ સેકન્ડના વીડિયોમાં તે વડાપ્રધાન મોદી પર સાપ અને મગરનો કરવાની ધમકી આપી રહી હતી.

(12:00 am IST)