Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

ડી.કે શિવકુમારની મહેનત ફળી

કર્ણાટકની સરકારને રાજીનામારૂપી ફૂંફાડો મારનારા ધારાસભ્ય 'નાગરાજ' માની ગયા

બેંગલોર, તા.૧૩: કર્ણાટકમાં કોંગ્રેસને નારાજ અને બળવાખોર ધારાસભ્ય નાગરાજને મનાવવા સફળતા મળી છે. મળતી માહિતી પ્રમાણે રાજીનામું આપનાર નાગરાજ પોતાના રાજીનામા અંગે ફરીવાર વિચાર કરશે. આજે સવારે કોંગ્રેસ નેતા ડી.કે. શિવકુમાર અને નાયબ મુખ્ય પ્રધાન જી. પરમેશ્વરે નાગરાજ સાથે મુલાકાત કરી તેમને મનાવવાની કોશિશ કરી હતી.

આ મુલાકાત બાદ શિવકુમારે દાવો કર્યો કે, નાગરાજે કોંગ્રેસ સાથે હોવાનું આશ્વાસન આપ્યુ છે. જયારે નાગરાજે જણાવ્યુ હતુ કે, પાર્ટીના નેતૃત્વથી નારાજ થઈને રાજીનામું આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, પાર્ટીથી નારાજ થયેલા સુધાકરને પણ મનાવવાની કોશિશ કરશે. મહત્વપૂર્ણ છે કે, ૧૧મી જુલાઈએ એમટીબી નાગરાજ અને સુધાકર રાવે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. જે બાદ કોંગ્રેસ દોડતી થઈ હતી.

(3:44 pm IST)