Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

હે રામ… જય શ્રી રામ નહિ બોલતા મદરેસાના બાળકોને ફટકાર્યા

હુમલો કરનારા લોકો બજરંગદળના હોવાનો મદરેસાનો આરોપ

ઉન્નાવ તા.૧૩ : ઉન્નાવામાં એક મદરેસાના બાળકોને જય શ્રી રામ નહી બોલતા તેમની મારપીટ કરવામાં આવી છે. આ ઘટનામાં અનેક બાળકો ઘવાયા છે. મદરેસાના લોકોએ આક્ષેપ કર્યો છે કે હુમલો કરનારા બજરંગ દળના લોકો હતા. હુમલાખોરોએ કેટલાક બાળકોની સાઇકલો પણ તોડી નાખી છે. હાલ આ મામલે એફઆઇઆર દાખલ કરવામાં આવી રહી છે. પોલીસે ત્રણ ઘાયલ બાળકોની મેડિકલ તપાસ કરાવી છે. અને ફેસબુક પ્રોફાઇલ મારફતે આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે. કેટલાંકની ધરપકડ પણ કરવામાં આવી છે. અને પોલીસે તેમની પૂછપરછ કરી રહી છે.

અગાઉ ઉત્તર પ્રદેશના કાનપુરના બર્રા વિસ્તારમાં એક મુસ્લિમ કિશોર સાથે મારઝુડની ઘટના સામે આવી હતી. કિશોરે આક્ષેપ કર્યો છે કે તેણે ટોપી પહેરેલી હતી અને લોકોએ તેને જય શ્રી રામના નારા લગાવવા જણાવ્યુ હતુ. બર્રામાં વસવાટ કરનાર તાજ(૧૬) શુક્રવારે કિદવઇ નગર સ્થિત મસ્જિદમાંથી નમાજ પઢીને ઘરે પરત ફરી રહયો હતો ત્યારે ત્રણ-ચાર અજાણ્યા બાઇકસવાર લોકોએ તેને રોકયો હતો. અને તેણે પહેરેલી ટોપીનો વિરોધ કર્યો હતો.

ઝારખંડમાં મોટરસાઇકલ ચોરીની શંકામાં તબરેઝ નામના યુવકને બાંધીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. ;ાથે બળજબરીપુર્વક જય શ્રીરામ  અને જય હનુમાનના નારા પણ લગાવડાવ્યા હતા. ટોળાએ માર મારીને તબરેઝને પોલીસને સોપીં દીધો હતો. પોલીસ કસ્ટડીમાં જ ઘાયલ તબરેઝનુ મોત થયુ  હતુ.

(10:51 am IST)