Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

વંદે ભારત મિશનઃ ૫ દિવસમાં ૬૦૩૭ ભારતીયોને ૩૧ ફલાઇટ દ્વારા સ્વદેશ લવાયા

નવી દિલ્હીઃ વૈશ્વીક મહામારી કોરોનાના કારણે વિશ્વના અલગ-અલગ દેશોમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા વંદેભારત મિશન લોન્ચ કરાયેલ. જેમાં ૫ દિવસમાં ૩૧ ફલાઇટો દ્વારા ૬૦૩૭ લોકોને સ્વદેશ લવાયા હોવાનું એવીએશન વિભાગે જણાવ્યુ હતુ. ઉપરાંત ૧૨ દેશોમાં ફસાયેલા વધુ ૧૪૮૦૦ લોકોને પરત લાવવાની યોજના છે. અમેરીકા, બ્રીટન, બાંગ્લાદેશ, સિંગાપોર, સાઉદીઅરબ, કુવૈત, ફીલીપીન્સ, યુએઇ અને મલેશીયામાં ભારતીય નાગરીકો ફસાયા છે.

(1:12 pm IST)