Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નિરવ મોદીની માનસીક હાલત ગંભીરઃ આર્થર રોડ જેલમાં ઇલાજ સંભવ નથી

લંડનની કોર્ટમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણીમાં વકીલની દલીલ

લંડનઃ પીએનબી કૌભાંડ મામલે ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીના પ્રત્યાર્પણને લઇને લંડનની વેસ્ટ મીનીસ્ટર કોર્ટ પાંચ દિવસીય સુનાવણી ચાલી રહી છે. દરમિયાન મોદીના વકીલે અચરજ પમાડતી દલીલ કરતા જણાવેલ કે નિરવની માનસીક હાલત ગંભીર છે. અને ભારતની જેલમાં  તેનો ઇલાજ કરવો મુશ્કેલ છે. નીરવ હાલ લંડનની વોન્ડસવર્થ જેલમાં બંધ છે. સમ્રગ સુનાવણી લંડનના ટ્રાયલ કોર્ટમાં વિડીયો કોન્ફરન્સીંગથી ચાલી રહી છે. ઉપરાંત નિરવ મોદીના વકીલે જણાવેલ કે ભારત સરકાર તરફથી જેલની સ્થિતિ અંગેનો ભરોસો અધુરો છે.

(11:38 am IST)