Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કઈ રીતે કોરોનાને હરાવશું ? ૨૪ કલાકમાં ૧૨૨ લોકોને ભરખી ગયોઃ નવા ૩૫૨૫ કેસ નોંધાયા

નવી દિલ્‍હીઃ કોરોના વાયરસનો કહેર ચાલુ છેઃ દેશમાં લોકડાઉનનું ત્રીજુ ચરણ ચાલુ છે અને ચોથાનું એલાન થઈ ચૂકયુ છે છતા કોરોનાની સ્‍પીડ ઘટી નથીઃ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫૨૫ નવા કેસ નોંધાયા છે અને ૧૨૨ લોકોના મોત થયા છેઃ દેશમાં કુલ આંકડો ૭૪૨૮૧નો થયો છે અને કુલ ૨૪૧૫ લોકોના મોત થયા છેઃ અત્‍યાર સુધીમાં ૨૪૩૮૬ દર્દીઓને રજા આપવામાં આવી છેઃ સૌથી વધુ મહારાષ્‍ટ્રમાં ૯૨૧ લોકોના મોત થયા છે

(11:29 am IST)