Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનના ૫૦ દિવસ

સંક્રમણમાં વધારો, મૃત્યુદર પર નિયંત્રણ

દેશવ્યાપી લોકડાઉન દરમિયાન કયા કયા પરિવર્તન આવ્યા?

નવી દિલ્હી તા. ૧૩ : ભારતમાં લોકડાઉનના ૫૦ દિવસ આજે પુરા થયા છે. આ સમયગાળામાં સંક્રમણ ૧૧૪ ગણું વધ્યું પણ આરોગ્ય મંત્રાલયે ગઇકાલે બહાર પાડેલા આંકડાઓ અનુસાર ભારતમાં મૃત્યુદર સરેરાશથી લગભગ અડધો છે. આજ પ્રકારે સાજા થવાનો દર પણ ત્રણ અઠવાડિયામાં પાંચ ગણો વધ્યો છે. તે ૨૫ માર્ચે ૬.૫ ટકા હતો જે હવે ૩૧.૨ ટકા થઇ ગયો છે. આજ પ્રમાણે એક વ્યકિતથી બીજી વ્યકિતને સંક્રમણનો દર ૧૨ ટકાએ સીમીત છે.

લોકડાઉન દરમિયાન માણસોની જીવન શૈલીમાં પણ ઘણાં ફેરફારો થયા છે. જેમાં ભણવાનું ઓનલાઇન થયું છે, વર્ક ફ્રોમ હોમ એટલે કે લોકો ઓફિસે જવાના બદલે લોકો ઘરે રહીને કામ કરતા થયા છે. એક સર્વે અનુસાર, ૮૯ ટકા લોકોએ કહ્યું કે અમે આરોગ્ય બાબતે વધુ સજાગ રહીશું. ગ્રામ્ય વિસ્તારોમાં ૬૮ ટકા લોકો હેન્ડવોશ અને સેનેટાઇઝર વાપરી રહ્યા છે.

અન્ય ફેરફારો જોઇએ તો ઓનલાઇન શોપીંગ ૪૬ ટકાથી વધીને ૬૪ ટકા થયું છે, તો દિલ્હી મેટ્રોમાં કોન્ટેકટલેસ ટીકીટીંગ, બસ, મેટ્રોમાં મુસાફરોની ઓછી સંખ્યા જેવી જોગવાઇઓ પણ કરાઇ છે. એ જ રીતે ડીજીટલ પેમેન્ટ સીસ્ટમમાં પણ વધારો થયો છે.

(10:42 am IST)