Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં ફરીવાર પથ્થરબાજી : 47 જેટલા સુરક્ષાકર્મીઓને ઇજા :તણાવપૂર્ણ સ્થિતિ

પથ્થરબાજી બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી દેવાઈ

જમ્મુ કાશ્મીરના બારામૂલામાં ફરીવાર પથ્થરબાજી થઇ છે ઉપદ્રવીઓએ સુરક્ષામાં રહેલા સુરક્ષાબળો પર પત્થરોથી હુમલો કર્યો હતો. જેમાં 47 સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં સહાયક કમાંડેંડ પણ સામેલ છે.ઘટનાની જાણ થતા અન્ય સુરક્ષાબળોએ આખા વિસ્તારને ઘેરી લીધો છે. બારામૂલામાં હજુ પણ તનાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.

  મળતા અહેવાલ મુજબ જમ્મુ કાશ્મીરના બારામૂલામાં છેલ્લા ઘણા દિવસોથી સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. મામલાની ગંભીરતા જોતા રાષ્ટ્રીય રાજમાર્ગ પર સુરક્ષાબળોની સંખ્યા વધારી દેવામાં આવી છે. સોમવારે બપોરે અચાનક લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સુરક્ષાબળો ઉપર પત્થર ફેંકવાના શરુ કર્યા હતા.

(10:43 pm IST)